
*** આજે તુલસી વિવાહ(સંવત ૨૦૬૪,કારતક સુદ એકાદશી)***
મેઘરાજ જેમના પિતા અને ધરતી જેમની માતા..
કાશી નગરી મહિ થયા પ્રગટ રે..
વસુદેવ જેમના સસરા અને દેવકી જેમની સાસુ..
કૃષ્ણજી જેમના નાથ રે..
એવા તુલસીમાતા પ્રભુને પરમ પ્રિય છે..તે ભગવદ સ્વરૂપ છે.શ્રી મહાપ્રભુજી દ્વારા અષ્ટાક્ષર મંત્ર ના ઉચ્ચાર સાથે તુલસીની કંઠી નું પુષ્ટીમાર્ગીય વૈષ્ણવો ને દાન થયેલુ છે.તુલસીની કંઠીમાં પ્રભુની શરણ સિધ્ધ કરાવનારી કૃપાશક્તિ છે.માટે એક ક્ષણ પણ તુલસીની કંઠી વિના રહેવું એ પુષ્ટીમાર્ગી વૈષ્ણવો માટે યોગ્ય નથી.ભક્તોએ તુલસીની કંઠી અવશ્ય ધારણ કરવી જોઈએ.
1 comment:
સુંદર માહિતી આપી પુષ્ટિમાર્ગનું પરમ સાધન બતાવ્યું
Post a Comment