Monday, December 3, 2007

રાગ(હવેલી સંગીત)

સોળમી સદી ભારતનાં ઈતિહાસમાં સંગીત અને કાવ્ય માટે બહુ મહત્વની સાબીત થઈ.આ સદીમાં ઘણા કવિ અને સંગીતકાર થયા જેમા અષ્ટસખાઓ એ પણ ઘણુ મહત્વનું સ્થાન મેળવ્યું.

અષ્ટસખા:

- શ્રી કુંભનદાસજી.
- શ્રી સૂરદાસજી.
- શ્રી પરમાનંદદાસજી.
- શ્રી કૃષ્ણદાસજી.
- શ્રી ગોવિંદસ્વામીજી.
- શ્રી છિતસ્વામીજી.
- શ્રી ચતુર્ભુજદાસજી.
- શ્રી નંદદાસજી.

શ્રી વલ્લભાચાર્ય અને ગુંસાઈજી એ અષ્ટસખા દ્વારા રચેલા કિર્તન(હવેલી સંગીતનાં પદ) ને પુષ્ટિમાર્ગમાં સમર્પિત કર્યુ.કિર્તન એ હવેલી સંગીત તરીકે પ્રસિધ્ધ છે જે પુષ્ટિભક્તિનુ સંગીત છે.એ મનોરંજનનુ સાધન નથી.શ્રી ઠાકોરજીની સાધનામાં તલ્લીન થવા કિર્તન ગવાય છે.કિર્તનને પુષ્ટિમાર્ગનો પાંચમો વેદ ગણાવાયો છે.

કિર્તન ઋતુ અનુસાર અને દિવસમાં પણ વિભાગ અનુસાર અલગ અલગ રાગમાં ગવાય છે.જેમકે,

પ્રાત:કાળ-કાલભૈરવ,વિભાસ,પંચમ,આશાવરી વગેરે.
મધ્યાન કાળ-સારંગ,નૂર સારંગ,સામંત સારંગ,શુધ્ધ સારંગ વગેરે.
સંધ્યા કાળ-રાગનટ,પૂર્વિ,સોરઠ,ગૌરી,હમીર,નાયકી વગેરે.

પુષ્ટિમાર્ગીય સંગીતનાં અનેક બીજા પ્રકાર છે.જેમા દોહા,ધોળ,ગરબા,વસંત,રસિયા,લોકગીત,રસના પદ,ચોખરા,આવ્યાન વગેરે સામેલ છે.આ બધાજ પ્રાકાર પરંપરાથી ચાલે છે અને એના રાગ પણ શાસ્ત્રીય સંગીતથી થોડા-ઘણા અલગ છે.
કહેવાય છે કે પ્રભુ સંગીત અને કિર્તનગાન પછી જ બધી સેવા સ્વીકારે છે.એટલે જ હવેલી સંગીતનું પુષ્ટિમાર્ગમાં ઘણુ મહત્વ છે.અને એ દ્વારા પ્રભુના ચરણમાં મન,હ્રદય અને આત્મા સમર્પિત કરવાનો પ્રયાસ છે.


રાગ રસાવલી:
Get this widget | Track details | eSnips Social DNA



Get this widget | Track details | eSnips Social DNA

11 comments:

નીરજ શાહ said...

સુંદર માહિતી... આમાનું ઘણુંખરું વાંચ્યા બાદ જ ખબર પડી...

Ketan Shah said...

અષ્ટાસખા અને હવેલી સંગીત વિષે સુંદર માહિતિ પૂરી પાડી છે. ઠાકોરજીના દર્શન કિર્તન સાથે કરવાની મજા જ કંઈ ઓર હોય છે. હોલી ના રસિયા સાંભળવાની તો બહુ જ મજા આવે.

Keep it up deegisha

Anonymous said...

તમે સરસ રીતે કિર્તન નો અર્થ સમજાવ્યો છે.મને ઘણું ગમ્યું એમ પણ મને તમરા બ્લોગ બહું ગમે છે.હું પણ વૈષ્ણવ છું,અને મને શ્રીનાથજી માં બહું શ્રધ્ધા છે

kapil dave said...

wah sigisha ben khubaj saras blog banavyo che ne

aaje paheli var tamara aa blogni mulakat lidhi ane dil aanand may thay gayu

khubaj sundar blog banavyo che

hu vaishnav nathi pan shrinathji ne bahu manu chu

kapil dave said...

sorry digisha ben paheli comment ma tamara nam ma spellin khoto lakhayo cho


sorry

Jaydip said...

hi Digisha, Jay Shree Krishna,Nice blog. Maja avi gai.

I am also doing bloging you can visit my blog http://myvaishnavparivar.blogspot.com/ Can we exchange RSS feed of our blogs ? Let me update the same.

Life said...

khoob saras kirtan che..Aashtha shakhavo to thakorji na aati priya hata....

Dhrada in charanana kero bharoso

JAI SHRI KRISHNA

Vikas Chavda

Pinki said...

nice info ..... digisha

keep it up .....!!

Anonymous said...

તમારો પુષ્ટિ માર્ગ નો બ્લોગ જોઇને ધણો જ આંનદ થયો.

અને તે પણ ગુજરાતી ભાષામાં..


મેં પણ શ્રી યમુનાષ્ટકમ વિશે અંગ્રેજી માં માહિતી આપવા નો પ્યાસ કર્યો છે. @ http://www.divyesh.co.cc/2008/12/shri-yamunashtkam.html




DIVYESH PATEL

http://www.krutarth.co.cc

http://www.divyesh.co.cc

Unknown said...

bahu j saras mahiti tame puri padi te mate dhanyawad.......jay shrikrishna....jay vallabhacharya....

Unknown said...

I want to know about PUSHTIMARGIYA KAVI MADHAVDASJI.
If u have then plz send me information abt him
thanks a lot